જો મળી જાય
જો, જેમ તમે કહો છો, તે સત્ય છે
તો સમજી લો પ્રેમ નો ક્ષય છે
બનાવટ નો પરદાફાશ થાય
તે પહેલા જલ્દી થી ચેતી જાવ।
પ્રેમ માં બનાવટ ના હોય
તેની છણાવટ પણ ના હોય
કોઈપણ સમયે લાગે કે કૈંક રંધાઈ રહયું છે!
તો તરત ને તરતજ તેનો ખુલાસો એકમાત્ર અવકાશ છે।
શંકા નો કીડો મનમાં આકાર ના લેવો જોઈએ
સપના સાકાર કરવા માટે પ્રેમી કેવો હોવો જોઈએ?
એની ચકાસણી મન ને અનુરૂપ હોવી જ જોઈએ
મન કહે તોજ આગળ વધવું જોઈએ।
કલ્પના માત્ર થી શંકા ના વમળો સર્જવા
પછી ખાલી ખાલી આક્ષેપો વહેતા કરવા
પ્યાર ને નબળો પુરવાર કરવા પૂરતા છે
પ્યાર ને આકાર લેતા પહેલાજ ખતમ કરવો ક્રૂરતા છે।
નથી હોતા બધા નસીબવાન
જેને પ્રેમિકા પણ મળે સાથે ગોરો વાન
વિચિક્ષણ હોય અને સમજુ ની સાથે મળતાવડી
પછી તો પલડું ભારી જ રહે જો મળી જાય આવી લાડી।
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
નથી હોતા બધા નસીબવાન જેને પ્રેમિકા પણ મળે સાથે ગોરો વાન વિચિક્ષણ હોય અને સમજુ ની સાથે મળતાવડી પછી તો પલડું ભારી જ રહે જો મળી જાય આવી લાડી।