રહે હિફાજત થી
સારો સવાલ છે
જવાબ પણ સરળ છે
માતાઓ સુખે થી રહે છે
ભલે ના મળે જગા ઘરમાં પણ આશ્રમ માં રહે છે।
લોકો મન માં લગાવ છે
આત્મા માં મન ને સળગાવતો દાનવ છે
ઘણી જ મજબૂરી છે બે જગા ને સાચવતાં
આંખે અંધારા આવી જાય છે સંબંધ ને રાખતા।
'માં અને વહુ બેજ વિલન ' એમ જાણકારો નું કેહવું છે
સાપ અને નોળિયો સાથે ના રહી શકે તેવું તેમનું માનવું છે
પણ ઘણી માતાઓ વહુને દીકરી સમાન દરજજો આપે છે
'ઘર માં તેનું માન અને સન્માન' જળવાય તેનો ખ્યાલ રાખે છે।
પણ કયું ઘર ખાલી છે જ્યા વાસણ ના ખખડે!
વહુ અને સાસુ ના વેણ સાંભળવા ના મળે
રોજ નવા નવા નુસખા સામે આવે
બિચારા દીકરા ને સાંભળવાનો સમય આવે।
સારો વિચાર ઘણા ને આવ્યો
વૃધ્ધાશ્રમ નો વિચાર ઘણોજ વધાવ્યો
ઘણા માં બાપ વૃદ્ધાશ્રમ ને જ પસંદ કરે છે
જ્યા ઘણા બધા રહે છે અને સમય પસાર કરેછે।
આટલા બધા વૃધ્ધો એકજ જગાએ?
જાણે જગા આપીછે રહેવા માટે સગા એ
કેટલો બધો શાલીન વિચાર છે માતા પિતા માટે
એકેજ ઉભું થયું છે વૃંદાવન અસહાય અને ઘરડા ઓ સાટે।
આપણે નહિ સુધારી શકીએ સામાજિક વ્યવસ્થા
પણ જરૂર થી રાખીએ આસ્થા
માતા પિતા ઘર માં રહે હિફાજત થી
યા વૃદ્ધાશ્રમ માં રહે ઈજ્જત થી।
welcome manisha mehta Like Like Love Grateful Haha Wow Sad Angry · Reply · 1 · 1 min
welcoem joblyn dela cruz cuenta Like · Reply · 1 · Just now
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
આપણે નહિ સુધારી શકીએ સામાજિક વ્યવસ્થા પણ જરૂર થી રાખીએ આસ્થા માતા પિતા ઘર માં રહે હિફાજત થી યા વૃદ્ધાશ્રમ માં રહે ઈજ્જત થી।