તમે બનો છો
ખાલી ઉપરવાળા ને જરૂર છે
તે તમારા ઉપર મગરૂર છે
તમે પણ તેને નિરાશ કરશો?
માનવ જીવન ને નામશેષ કરશો?
તમારી જરૂર બીજાને ક્યાં છે?
વિચારજો શાંતિ થી આવતી કાલ તમારી છે
તમારા જવાથી કઈ ફરક પડવાનો નથી
તમારા રહેવાથી આસમાન હરખાઈ જવાનું નથી!
આ બધા જાતે ઉભા કરેલા નુસખા છે
બધા પોતાની જાતને ખેરખા માને છે
કોઈ કબૂલવા તૈયાર નથી
જીવન માટે નો ભ્રમ તોડવા તૈયાર નથી।
તમારી માતા દરવાજે ઉભી હશે
'દીકરો ભૂખ્યો અને તરસ્યો કૂટાતો હશે'
હજુ સુધી ઘેર પહોંચ્યો નથી?
તેની કોઈને કૈજ પડી નથી।
' ન જાણ્યુ જાનકી નાથે' શું આવશે સંગાથે
કરી લીધો વિચાર જાનકી છે મારે હારે
મારી અર્ધાંગના અને પથદર્શક
આજ છે જીવન નો મર્મ અને તમે બનો છો મુકદર્શક?
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
ન જાણ્યુ જાનકી નાથે શું આવશે સંગાથે કરી લીધો વિચાર જાનકી છે મારે હારે મારી અર્ધાંગના અને પથદર્શક આજ છે જીવન નો મર્મ અને તમે બનો છો મુકદર્શક?