સદાકાળ ગુજરાત
જ્યાં જ્યાં વસે ગુજરાતી, તયાં તયાં સદા ગુજરાત
આજ તો છે ગુજરાતીઓ ની લાયકાત
જ્યાં જ્યાં જાય તયાં તયાં પ્રસરાવે મીઠી સુગંધ
હાથ પસારી કહે "અમારો સદાકાળ રહે સંબંધ "
ગુજરાતીઓ ની આ છેવિશેષતા
આ લોકો ધર્મ માં વિશેષ રસ દાખવતા
મૂળ માં છે ધર્મપ્રેમીઝુકાવ
હંમેશા રહે વેપાર માં ગરકાવ।
જ્યારે કોઈ સાધન નહોતું
ત્યારેગુજરાતી હતા દરયાખેડુ
આફ્રિકા અને દુરદેશ ની દરિયા ઇ સફર ખેડતા
બહાર ના દેશો ને અહીંની ચીજો પુરી પાડતા।
ગુજરાતીઓ ની ઘણી દૂરંદેશી
પરદેશ માં પણ લઈ પુરેપુરા દેશી
હજારો માં ઓળખાઈ જાય
પોતાની આગવી ભાત માનસપટલ પર જરૂર થી અંકાય।
માયાળુ સ્વભાવ ને લીધે આખા જગત માં બહું પંકાણા
આમેય ગુજરાતી બહુજ બુદ્ધિશાળીઅને શાણા
દરિયાખેડુ તો ખરાપણ સાથે સાથે સાહસિક
જીવન માં પણ મળતાવડા અને રસિક।
જ્યાં જ્યાં ગયા તયાં તયાં ગુજરાત નું નામ રોશન કર્યું
ઘણા એ તો સ્થાનીકલોકો જોડે બંધન પણ કર્યું
ભળી ગયા દૂધ માં સાકર ની જેમ
કર્યું જીવન પાષાણ નું પણ હેમ।
સામાની નાડથોડીક વાર માં પારખી લે
પોતાનું જરૂર વિચારી લેપછી ભલે ને ભારખવાની કોશિશ કરી લે
કોઈપણ ભોગે હાલત નો ભોગ ના બને
પણ સામનો કરી સુખે થી રહે।
ગુજરાતી નારી પણ વિચારોમાં પારંગત
કુશળ ગૃહિણી અને વરતન માં લાવે રંગત
પોતાની પાકવિદ્યા થી નખાવે મોઢામાં આંગળા
પણ સ્વાદ પછી કરે વખાણ અને પણ લાગે ઘણા વામણા।
આવા લોકો થી જ ગુજરાત છે આબાદ
ઘણા નાગરિકો થઇ ગયા બરબાદ
વ્યસન પ્રતિ અહીં જાગરૂક તા છે ઘણી
ભગવાન પર રાખે શ્રદ્ધા અને ના થવા દે ધૂળધાણી
આવા લોકો થી જ ગુજરાત છે આબાદ ઘણા નાગરિકો થઇ ગયા બરબાદ વ્યસન પ્રતિ અહીં જાગરૂક તા છે ઘણી ભગવાન પર રાખે શ્રદ્ધા અને ના થવા દે ધૂળધાણી
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome Binal Modi · Reply · 1 · Just now