સારું જીવન
Friday, May 18,2018
8: 35 AM
મને મન માં કોઈ દુવિધા નથી
અને સુવિધા મને ગમતી નથી
મને વિવિધતા માં રસ છે
કારણ કે રહસ્ય જ, એમાં મોટું મસ છે
જે અચલ છે તે ચલ નથી
જે ચલ છે તેજછલ છે
છલ નો આ બધો ખેલ છે
મન માં રહેલો મેલો મેલ છે
શા માટે મન માં ગડમથલ કરવી
બીજા માટેપતન ની ઈચ્છા કરવી
એટલું બધું વૈમનસ્ય રાખવું, કે પૃચ્છા પણ ન કરવી
સામે મળો તોપણ "કેમ છો"પૂછવાની પણ કાળજી ના રાખવી!
આપણે જાણીએ છીએ
પંખીના માળા ને આપણે સમજીએ છીએ
"જીવતર નો ગુઢાર્થ" પણ સમજ બહાર નથી
વાત નાની છે, પણ નથી નાનીસૂની કે અમથી।
"રહેવા દો મને એકલો કે પછી ના પજવો "
આવો અભિગમ રાખી સૂત્ર ને અપનાવો
ઘણા લોકો જીવન માં થી બહાર નીકળી જશે
પછી ક્યારેય પાછા આવીને નહિ પજાવશે।
મારૃં, તારું થોડા સમય માટે સારું
પછી તમનેજ લાગશે અકારૂં
જેનો તમને ખપ નથી
એનો ભાર તમને જીવનપર્યંત ખપતો નથી।
રહેવું છે માનવ તરી કે!
કે સંસાર માં ડૂબી ને
ચાવી આપણા હાથ માં છે
સારું જીવન વ્યતીત કરવું હાથવેંત માં છે।
હસમુખઅમથાલાલ મહેતા
This poem is expressed very well in excellent manner and this is based on perception. The mail in mind is really mail. I have no dilemma in mind and I do not like the facility. But I am interested in diversity. This diversity gives broader essence to feel humanity from different corners. An amazing sharing is done...10
રહેવું છે માનવ તરી કે! કે સંસાર માં ડૂબી ને ચાવી આપણા હાથ માં છે સારું જીવન વ્યતીત કરવું હાથવેંત માં છે। હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome Manisha Mehta 21 mutual friends 1 Manage Like · Reply · 1m