ગરીબો નું કલ્યાણ
અમે તો કરીજ છે લ્હાણી
સુધારી છે વાણી
પૂર્યા છે માનવતાના રંગ
અને હવે ખેડવો છે જંગ।
ના થવા દઈએ કોઈ અત્યાચાર
ફેલાવશું સદવિચાર
નહિ માને તો આપીશું દેહાંતદંડ
આતતાયીઓ નું ડામી દઇશું બંડ।
નથી ચલાવવાની હવે લાલિયાવાળી
કોઈ નીતિ નહિ દેવાવાળી
પૂરું ઉત્પાદન દેશમાં જ
વળતર પણ તેમના ખાતા માં જ।
બાળકો ને પ્રથમ શિક્ષણ
યુવાનો ને ઉત્તમ પ્રશિક્ષણ
ઘેર બેઠાજ ઉદ્યમ
આજ છે એક વિકલ્પ અને પરિશ્રમ।
કોઈ આતંકવાદી કેમ બને?
આપણાજ દેશ માં બાળકો અનાથ કેમ બને?
હિન્દુ હોય કે મુસલમાન
બધાજ માને કાયદો જે હોય પ્રવર્તમાન।
ન્યાયપાલિકા નું પૂર્ણ સન્માન
ના હોય તેના પર ટીકા કે ટિપ્પણ
સરકાર હોય કે પછી સામાન્ય ઇન્સાન
બધાને માન્ય હોય ઇન્સાફ અને સન્માન।
બધુજ મફત મળે એવી ખેવના ના હોય
વગર મહેનત ના ફળ ની સેવના ના હોય
લખપતિ થવાની ચેષ્ટા કદી ના હોય
વાતાવરણ કલુષિત ના થાય એજ જોવાનું હોય।
રામરાજ્ય આવવાનું નથી
પણ પાછું આપણે ગુલામ થવાનું નથી
આગળ જ વધવાનું છે
ગરીબો નું કલ્યાણ જ કરવાનું છે।
welcome manisha amehta Unlike · Reply · 1 · Just now
welcome manisha amehta Unlike · Reply · 1 · Just now
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
રામરાજ્ય આવવાનું નથી પણ પાછું આપણે ગુલામ થવાનું નથી આગળ જ વધવાનું છે ગરીબો નું કલ્યાણ જ કરવાનું છે।