ભાવ પુષ્પ Poem by Devanshu Patel

ભાવ પુષ્પ

Rating: 5.0

ભાવ પુષ્પ

હેએએએ.. (શ્રી)રાજ શરણું ગ્રહી, મોહ મન થી પરહરી
જીવ જો સંયમને માર્ગ જાશે,
પરમ જીન પદ તણું સત્ય દર્શન કરી
દુઃખ સર્વ કાળ ના ક્ષીણ થાશે....હેએએએ..(શ્રી)રાજ શરણું

હેએએએ.. બાહ્ય ક્રિયા જડતા અને જ્ઞાન શુષ્કતા
દૂર થઇ મોક્ષ ને માર્ગ જાશે.
ત્યાગ વૈરાગ્ય ના બંધ દ્વાર ખોલીને
આત્મજ્ઞાન માર્ગ મન ઉદિત થાશે....હેએએએ.. (શ્રી)રાજ શરણું

હેએએએ.. મોહનીય કાર્ય જે બાધ્ય વિતરાગ ના
મન નાં મતાંતરો ત્યાજ્ય થાશે.
સેવી શ્રીમદ તણાં પાવન ઉપદેશ ને
જ્ઞાન, સમદર્શિપણું સાધ્ય થાશે....હેએએએ.. (શ્રી)રાજ શરણું

હેએએએ.. ત્યાગી સ્વછંદમત, સેવે (શ્રી)સદ્દગુરુ લક્ષ
એ જીવ સત્ય સમકિત ભાસે.
માનાદિ જીવ તણાં જે શત્રુ ઘણાં
કેવળ ગુરુકૃપાએ દૂર થાશે....હેએએએ.. (શ્રી)રાજ શરણું

હેએએએ.. જ્ઞાન વિના ત્યાગ વૈરાગ શા કામનાં?
એ ભાન વિના સદ્દગુરુજી કોણ આપે?
વંદુ શ્રીમદ ચરણ, માંગુ હું તુજ શરણ
ભક્ત ગણી રુદિયા માં ભાવ સ્થાપે

હેએએએ.. (શ્રી)રાજ ચરણે પડી, માંગુ હું હરઘડી
હૈયે મુજ, હેત તુજ નિત્ય રાખે
જ્ઞાન અને ભક્તિ એક રસ થઈ વહ્યા કરે
દાન-પુણ્ય-કર્મે ઔચિત્ય આપે......! ! !

© દેવાંશુ પટેલ

ભાવ પુષ્પ
POET'S NOTES ABOUT THE POEM
This Bhakti Geet (a prayer)is dedicated at the pious lotus like feet of Shrimad Rajchandra, known as Shri Krupaludev, the spiritual Guru of Gandhiji, the father of our nation, India.
COMMENTS OF THE POEM
Aniruddha Pathak 31 December 2018

હેએએએ.. જ્ઞાન વિના ત્યાગ વૈરાગ શા કામનાં? એ ભાન વિના સદ્દગુરુજી કોણ આપે? Jnyaana, higher knowledge, often called vidyaa, you seem to have aplenty, Devanshu, A lovely piece in Gujarati.

0 0 Reply
Flower Prince 23 December 2018

Thanks for poet's note. A nice ode poem Devanshu! This looks lovely.

1 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Devanshu Patel

Devanshu Patel

Kapadwanj, Gujarat (India)
Close
Error Success