યાદ આવે
શુક્રવાર,13 જુલાઇ 2018
જ્યારે એકલતા લે ભરડો
અનેં મન ભટકે જેમ ભમરડો
એને ના ફરવા દેશો વધુ વખત
નહીંતર નસીબ થઇ જશે સખત।
યાદ આવે અને લઈ જાય
વીતેલી ક્ષણો માં ખોવાઈ પણ જાય
પણ છે એનો કઈ ઉપાય?
એનામાં રહો ખોવાયેલા થઇ નિરૂપાય।
સમય જ છે એનો ઉપચાર
બદલો તમારા આચાર
અને સાથે સાથે વિચાર
વ્યસ્ત રહો અપનાવી સદાચાર।
માનવ મન મર્કટ સમાન
ભુલાવી દે તમને ભાન
ના કરવાનું કરાવી બેસે
પાછળ થી માફી મંગાવી લેશે।
આપણે દુઃખી એટલે બીજા ને કરવાના
બધાની સામે જઈને દુખડા રોવાના
ના કરો આવી વાતો કોઈનાપણ સમક્ષ
રહો ચતુર, કાબેલ અને દક્ષ।
નથી કોઈ દુખ લઇ લેવાનું
ઉપર થી તેને વધારી આપવાનું
કોઈ સાથી ની તલાશ કરી લો
ઠીક લાગે તો એને અપનાવી લો।
સંસાર ઠીક ચાલવો જોઈએ
તેની ગતિ થંભી ના જવી જોઈએ
જીત-હાર, મૃત્યુ અને એવું કૈંક થતું રહેશે
પણ આપણે એને અપનાવવાનુંજ રહેશે।
હસમુખ અમથાલાલ મહેતા
સંસાર ઠીક ચાલવો જોઈએ તેની ગતિ થંભી ના જવી જોઈએ જીત-હાર, મૃત્યુ અને એવું કૈંક થતું રહેશે પણ આપણે એને અપનાવવાનુંજ રહેશે। હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome Celeste D. Erni 1 mutual friend 1 Manage Like · Reply · 1m