રાવણ દહન Poem by Devanshu Patel

રાવણ દહન

Rating: 5.0

રાવણ દહન

હજારો રાવણો બાળ્યાં, ફરક એથી પડ્યો છે શું?
યુગો થી બાળતાં આવ્યા, ફરક એથી પડે છે શુ?

ન બદલાયો જમાનો કૈં, ને બદલાશેય સ્હેજે નૈં;
બૂતો ને બાળતાં આવ્યા, ફરક એથી પડે છે શુ?

હર્યાં 'તા માત સીતાને, હતો વિદ્વાન એ, તો પણ;
કથા દોહરાવતા આવ્યા, ફરક એથી પડે છે શુ?

સલામત છે? પૂછો દિલને શિયળ મા-બેન ના આજે;
શિયાળો લૂંટતા આવ્યા, ફરક એથી પડે છે શુ?

હણી રાવણ, કરેલો ધર્મ નો વિજય પ્રભુ રામે;
અધર્મી જીતતાં આવ્યા, ફરક એથી પડે છે શુ?

હણું મન માં રહેલાં દુષ્ટ ને સાચાં દશેરા એ;
જો દુષ્ટો પાળતાં આવ્યા, ફરક એથી પડે છે શું?

©️ દેવાંશુ પટેલ
10/19/2018

રાવણ દહન
Friday, October 19, 2018
Topic(s) of this poem: life
COMMENTS OF THE POEM
Kumarmani Mahakul 24 October 2018

Inner vices should be burnt. Burning thousands of Ravanas and passing through the ages we have not seen many changes. Buring Ravana means burning vices with fire of wisdom and burning sins through fire of meditation. When a person becomes free from vices and becomes pure then we can tell that Ravana is burnt...10

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Devanshu Patel

Devanshu Patel

Kapadwanj, Gujarat (India)
Close
Error Success