જૈનમ જયંતી શાસનમ
રવિવાર,28 ઓક્ટોબર 2018
વંદનકરું, નમન કરું
લળી લળી પ્રાર્થના કરું
હાલતા ચાલતા સ્મરણ કરું
પ્રભુ તમારી મૂર્તિ ને હમેશા યાદ કરું।
કર્મ મારો રાગ છે
દયા મારો ધર્મ છે
હૈયે બીજા માટે કરુણા ની કામના
પ્રભુ આપ જો શાંતિ, એજ છે મારી વાંછના।
ના રાખું હું કદી તિરસ્કાર ની ભાવના
"જૈનમ જ્યંતી શાસનમ "ની જ કરું ઉદઘોષણા
બસ પ્રભુ દૂર કરો મન ની આ વિડંબણા
પ્રભુ કેટલા બધા પાપો એમાં ઉમેરાણા
.
બસ પ્રભુ હવે કરો અમીછાંટણા
ના રાખો જીવન માં એની મણા
જીવન રહે નિષ્કલંક અને લાંછન રહિત
બસ સચવાય માનપાન અને હિત
સંસાર ના સુખ લાગે બધા મને લોભામણા
પણ હું સમજી ગયો બધાજ પ્રલોભન છે છેતરામણા
સંસાર ની આવીજ છે મને સમજ
કદી ના થાય મને એની ગેરસમજ।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem