જન્મારો અધૂરો
શનિવાર,8 ડિસેમ્બર 2018
કેમ જોઈએ જીવન માં સથવારો?
નારી વગર જન્મારો અધુરો
એકલા એકલા ને ઘર ખાવા આવે
મનમાં અસંખ્ય વિચારો આવે અને સતાવે।
મોટી ઉંમરે જો ઘરભંગ થાય
તો તો ખરેખર વલે થાય
એકબીજા ઘરે આવતા બંધ થતા જાય
વાર તહેવારે જ મળવાનું થાય।
જીવન છે, તો સહારો તો જોઈએ
કોઈક ને કોઈક તો સાંભળવાળું જોઈએ
એકબીજા જોડે વાત કરીએ તો મન હળવું થાય
મન ની મૂંઝવણ હોય તો દૂર થઇ જાય।
લોકો કહે એટલે બીજુ ઘર માંડે
આજ લોકો આઈ ને તેમને ભાંડે
જુદી જુદી વાતો કરી હેરાન કરે
પીઠ પાછળ થી આવી ખંજર મારે।
જીવન ને આપણે જ સંવારવું પડે
બીજા લોકો નું સાંભળવું પણ પડે
સંસાર માં રહી એને તરવો પડે
બીજું લગ્ન કરી સંસાર સજાવવો પડે
Courtesy: verli art
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem