જન્મારો અધૂરો.... Janmaaro Poem by Mehta Hasmukh Amathaal

જન્મારો અધૂરો.... Janmaaro

જન્મારો અધૂરો
શનિવાર,8 ડિસેમ્બર 2018

કેમ જોઈએ જીવન માં સથવારો?
નારી વગર જન્મારો અધુરો
એકલા એકલા ને ઘર ખાવા આવે
મનમાં અસંખ્ય વિચારો આવે અને સતાવે।

મોટી ઉંમરે જો ઘરભંગ થાય
તો તો ખરેખર વલે થાય
એકબીજા ઘરે આવતા બંધ થતા જાય
વાર તહેવારે જ મળવાનું થાય।

જીવન છે, તો સહારો તો જોઈએ
કોઈક ને કોઈક તો સાંભળવાળું જોઈએ
એકબીજા જોડે વાત કરીએ તો મન હળવું થાય
મન ની મૂંઝવણ હોય તો દૂર થઇ જાય।

લોકો કહે એટલે બીજુ ઘર માંડે
આજ લોકો આઈ ને તેમને ભાંડે
જુદી જુદી વાતો કરી હેરાન કરે
પીઠ પાછળ થી આવી ખંજર મારે।

જીવન ને આપણે જ સંવારવું પડે
બીજા લોકો નું સાંભળવું પણ પડે
સંસાર માં રહી એને તરવો પડે
બીજું લગ્ન કરી સંસાર સજાવવો પડે

Courtesy: verli art

હસમુખ અમથાલાલ મહેતા

જન્મારો અધૂરો.... Janmaaro
Saturday, December 8, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success