જીવનસંગ્રામ
બુધવાર,27 માર્ચ 2019
જીવન છે એક સંગ્રામ
એને નથી કોઈ કામ
સહેલા કામ ને અઘરું કરવું
માનવજાત ને હેરાન કરવું।
કાચા દિલ ના માણસો ગભરાઈ જાય
વાતવાત માં આંખ માં આંસુ આવી જાય
પોતાની આપવીતી કહેતા કહેતા હતાશ થઇ જાય
"ભગવાને જે ધાર્યું હોય તેજ થાય" એમ કહેતા જાય
આનો ઉત્તર છે કઠોર પરિશ્રમ
ભલે ને પછી સહેવો પડે સિતમ
ધમધોખતા બપોરે પથ્થર તોડવા પડે
અને શરીરપાર બોજ સવહેવો પડે।
એના પરસેવા માં પ્રામાણિકતા ની સુગંધ હોય
વાણી માં પણ મીઠાસ હોય
બે વેળા ની ભૂખ સહજતા થી મટતી હોય
એનાથી વિશેષ ખુશી શું હોય?
આવા જીવન થી શીખવાનું ઘણું મળે
પ્રેમ વધે, આત્મીયતા વધે
આયુષ્યવર્ધન થાય અને ભાઈચારો કેળવાય
ભલે વધારે ધનસંચય ના થાય, આત્મસન્માન આપોઆપ મેળવાય।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
આવા જીવન થી શીખવાનું ઘણું મળે પ્રેમ વધે, આત્મીયતા વધે આયુષ્યવર્ધન થાય અને ભાઈચારો કેળવાય ભલે વધારે ધનસંચય ના થાય, આત્મસન્માન આપોઆપ મેળવાય। હસમુખ અમથાલાલ મહેતા