ક્યારે થઇ ગયા વિલીન
Thursday, July 26,2018
11: 55 AM
સુખ ની મને ખાદ્ય હતી
દુઃખોની સંખ્યા અધધ હતી
પણ લાલસા તો સુખ ની જ હતી
દુઃખ ની તો કોઈ કલ્પના જ નહતી।
બધાને સ્વર્ગ જવું છે
નર્ક ની તો કોરી બીક છે
કામ સારા નથી કરવા
ખોટું ના થાય તેની પણ નથી પરવા।
સુખ અને દુઃખ સાથે જ છે
વારેવારે આવે જ છે
ઘણીવાર તેનો પડછાયો લાંબે વખત ચાલે
એની આગળ આપણું કશું ના હાલે!
દુઃખ ના હોય તો સુખ ની ખબર ના પડે
દુઃખ લેવા કોઈ પડાપડી ના કરે
સુખ માટે તો કેટલા કેટલા જાપ કરવા પડે
વિનંતી કરી ચરણો માં નમવું પડે।
સંસાર નો મહિમા છે જ મોટો
આપણા જેવાનો ક્યાંય નથી તોટો
પણ જીવન તો એક પરપોટો
સાથે નઈ આવે એક નાનો લોટો।
સુખ મન માં અને દુઃખ દિલ માં
દિવસો વીતી જાય ઘડીઘડી માં
મન ને કોરી ખાય આ દુવિધા
શા માટે આપણ ને જોઈ એ સુવિધા?
માંગો તો સ્વસ્થ શરીર અને શાંત મન
થશે તમને જોઈએ તેવું કેવળજ્ઞાન
પ્રભુ માં રહો મગ્ન અને તલ્લીન
પછી તમને ખબર પણ નહિ પડે કે ક્યારે થઇ ગયા વિલીન।
હસમુખ અમથાલાલ મહેતા
માંગો તો સ્વસ્થ શરીર અને શાંત મન થશે તમને જોઈએ તેવું કેવળજ્ઞાન પ્રભુ માં રહો મગ્ન અને તલ્લીન પછી તમને ખબર પણ નહિ પડે કે ક્યારે થઇ ગયા વિલીન। હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome manisha mehta