મારી વાત
શનિવાર,8 ડિસેમ્બર 2018
હું કરું મારીજ વાત
બીજાની શા માટે કરવી પંચાત?
આપણી ના પણ હોય વિસાત
આપણી વાત નો મળે મિશ્ર પ્રત્યાઘાત।
માણો કે છોકરા સંભાળ નથી લેતા
ઘરે તમોને આવી ને નથી મળતા
આવે તો પણ મન થી ભાવ નથી પૂછતા
દુઃખ માં રડવું આવે તો પણ આંસુ નથી પોંછતા।
જીવન તમારું એકાકી બની જાય
ચિંતા માં રોજ રોજ વધારો થતો જાય
તમારું પોતાનું કોઈ તમને ના લાગે
બીજા ના વેણ તમને તીર સમાન લાગે।
લોકો ની ઉપેક્ષા જોઈને તમને મન માં લાગી આવે
ઘણીવાર નિરાશા ના વાદળ ચડી આવે
તમને જીવન ટૂંકાવવા નો વિચાર થઇ આવે
ઘણા લોકો કંટાળી ને જીવન ટૂંકાવી પણ લે।
આ બધી કડાકૂટ માં પડવા કરતા
રહેવું જોઈએ હંમેશા હરતા ફરતા
કામ માં મન પરોવવું અને પ્રભુ ને ભજવા
જે વિચારો ચિંતા કરાવતા હોય તેમને ત્યજવા।
હસમુખ અમથાલાલ મહતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
આ બધી કડાકૂટ માં પડવા કરતા રહેવું જોઈએ હંમેશા હરતા ફરતા કામ માં મન પરોવવું અને પ્રભુ ને ભજવા જે વિચારો ચિંતા કરાવતા હોય તેમને ત્યજવા। હસમુખ અમથાલાલ મહતા