મોહી ગયું
ગુરુવાર,14 માર્ચ 2019
મારું મન મોહી ગયું
અને તન ને ડોલાવી ગયું
તારી કોઈ ને મોહક અદા
છવાઈ ગયું દિલ માં સર્વદા।
માનવ મન રહે સદા ચંચળ
કાળિદાગી જાય અને થઇ જાય ચળ
વોચરો ના થનગનાટ વર્તાઈ જાય
મન માં મન માં શરણાઇએઓ વાગી જાય।
આતો છે કુદરત નો નિયમ
નથી રહેતી કોઈ વસ્તુ કાયમ
જવાની, જવાની નું કામ કરે
પોતાના સોણલા ઓ ને સાકાર કરે।
વસંત જાય અને પાનખર આવે
પડતી ના એંધાણ પણ સાથે લાવે
ચેતી જાઓ સમયપર, ચેતવણીને ભાળી
બની જાઓ અનુરૂપ સચેત થઇ ને।
પ્રેમ જ છે આ ધરતી નો સંદેશ
પછી કેમ રાખવો કોઈ અંદેશ?
હરેક માનવી ના દિલ માં, ધડકે એકજ દિલ
રહો શાંત ચિત, બનાવી ભાવના ખેલદિલ।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem