પતન ના મૂલ્યો
Thursday, February 15,2018
7: 46 AM
હું છૂ તો વૃદ્ધ
પણ અબાલ વૃદ્ધ
રહુ સદા ક્રુધ્ધ
જંખુ સદા યુદ્ધ।
આખું જીવન વિતાવ્યું
કોઈ એ કદી ના સતાવ્યું
પણ મનમાં જરૂર લાગી આવ્યું
મેં જીવનભર આ શું વાવ્યું?
વાવ્યા હતા તો આંબા
થયા પણ ઘણા લાંબા
લોકો કરતા થયા અપકાર
ખોટા લોકો નો થયો જયકાર।
મને ક્ષોભ થઇ આવ્યો
હું મોહાંધ કેમ થયો?
લોકમાનસ નો ઉદ્ભવ મારા માં કેમ થયો?
સમર્પિત ભાવના છતાં ઉપેક્ષિત કેમ થયો?
આતો કળિયુગ નો થયો પ્રારંભ
બધા દેખાડતા થયા દંભ
હવે થશે એનો અંત
આ માનસિકતા તો રહેશે અનંત।
ઉંમર અને જીવન ને શો સંબંધ?
માનસિકતા તો રહેશે અકબંધ
સંબંધ પણ રહેશે ઋણાબંધ
બધાની બોલતી પણ થશે બંધ।
પસ્તાવા નો પર નહિ હોય
જ્યારે જીવન પર ભરોસો નહિ હોય
માનવી માનવી ના મૂલ્યો નો પરિહાસ કરતો હશે
જીવન માં પતન ના મૂલ્યો ને અનુસરતો હશે।
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
પસ્તાવા નો પર નહિ હોય જ્યારે જીવન પર ભરોસો નહિ હોય માનવી માનવી ના મૂલ્યો નો પરિહાસ કરતો હશે જીવન માં પતન ના મૂલ્યો ને અનુસરતો હશે।