પથદર્શક
શુક્રવાર,4 જાન્યુઆરી 2019
એક જ છે સત્વ
અને તે છે બુદ્ધિત્વ
બુદ્ધિત્વ થી વ્યક્તિત્વ ખીલે
તેના સાથ થી આપણું પણ કૌશલ્ય દીપે।
તેના વ્યવહાર થી પણ આપણે ઝાંખા પડીએ
એની તોલે કદી ના આવી શકીએ
એની હરેક વાત આપણા માટે લાભદાયી
જીવન માં સુખ આપનારી અને શુભદાયી।
આવા માણસો જો તમારા પથદર્શક બની રહે
તો જીવન માં અજવાળા પથરાતા રહે
કોઈપણ પ્રસંગ દુઃખપાત્ર ન બને
અને હંમેશા કીર્તિ જ અપાવે।
એની જોડે જોડે આપણાપણું મહત્વ નું છે
બુદ્ધિશાળી માણસ જો અહંકારી હોય
તો તમને પણ ગર્તા માં ધકેલતો જાય
અને તમારી પ્રગતિ રૂંધાઇ જાય।
પણ જો એ એક માનવતાવાદી હોય
પ્રભુ માં સંપૂર્ણ વિશ્વાસ ધરાવતો હોય
તો એનો સંગ અનેરો જ હોય છે
તમારા હૃદય માં હંમેશા માનવતા નો દીપ પ્રગટાવે છે।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
પણ જો એ એક માનવતાવાદી હોય પ્રભુ માં સંપૂર્ણ વિશ્વાસ ધરાવતો હોય તો એનો સંગ અનેરો જ હોય છે તમારા હૃદય માં હંમેશા માનવતા નો દીપ પ્રગટાવે છે। હસમુખ અમથાલાલ મહેતા