પ્રભુ ઈશુ
મંગળવાર,25 ડિસેમ્બર 2018
આજે પ્રભુ ઈશુ નો જન્મદિવસ
આપણે મનાવીએ એને સમજી ખાસ
પ્રભુ આપનો સંદેશ માનવજાત માટે
પ્રેમ નો બદલો પ્રેમથી જ આપ્વા માટે।
ના સમજ્યા લોકો એમના પ્યાર ને
સમજયું ખાલી મન માં રાખી વેર ને
કેટલી કેટલી યાતના ઓ આપી
જ્યારે એમણે માફ કર્યા આશીર્વાદ આપી
પ્રભુ એ ઉફ તક ના કર્યું
બહુજ સહન કરે રાખ્યું
અનુયાયીઓ એ પણ ઘણુંજ સહ્યું
પ્રભુ ને કાંટા નો તાજ પહેરાવી અપમાન કર્યું।
સહનશીલતા ની પણ હદ વટાવી ગઈ
ઈર્ષાળુ લોકો એ સ્તંભપર લટકાવી જંગાલિયત બતાવી દીધી
તેમને અધમુઆ કરી બેભાન અવસ્થા માં છોડી દીધા
મર્યા સમજી એમને એકલા મૂકી દીધા।
પ્રભુ સજીવન થયા માનવજીવન ના ભલા માટે
પોતાનું જીવન દાવપર લગાવી દીધું તેમની સાટે
આજે આખું વિશ્વ તેમને નતમસ્તક છે
તેમને યાદ કરી પ્રાર્થના નું આયોજન કરે
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
પ્રભુ સજીવન થયા માનવજીવન ના ભલા માટે પોતાનું જીવન દાવપર લગાવી દીધું તેમની સાટે આજે આખું વિશ્વ તેમને નતમસ્તક છે તેમને યાદ કરી પ્રાર્થના નું આયોજન કરે હસમુખ અમથાલાલ મહેતા