પભુ એ આપેલું અભયદાન
શું નથી મળ્યું આપણ ને?
જરો તો હલાવો પાંપણ ને
નજર તો કરી જુઓ આસમાન પર
અને રાખો પગ જમીનપર।
'હતાશા' એ આપણી વ્યાખ્યા નથી
'નિરાશા' એ આપણી પરિભાષા નથી
આશા એજ આપણી અભિલાષા છે
એતો રહેશે અમર અને જીજીવિષા પણ છે।
કાલે શું થશે?
થશે અને સારુંજ રહેશે
એવો વિચાર આજે કેમ ઉદ્ભવે?
મન ના આવેગ ને કેમ દબાવે?
જીવન એતો મુક્તિ મેળવાવું સ્થાન
પભુ એ આપેલું અભયદાન
આપણે કરવું પડશે એનું સન્માન
જીવન તો રહેવુંજ જોઈએ દેદીપ્યમાન
સંસાર માં આવ્યા છીયે તો જીવવું તો પડશેજ
હસતા હસતા કે પછી રોતા રોતા સહેવું તો પડશેજ
પણ મારો અભિગમ કેવો હશે?
સામનો કે જીરવવાની તાકાત કેવી હશે?
પરલોક કેવો હશે?
તેની દરકાર આજ મન માં કદાચ હશે
પણ એના માટે આજ ના બગાડાય
સંબંધો વણસેલા હોય તો તેને સુધારાય।
પરલોક કેવો હશે? તેની દરકાર આજ મન માં કદાચ હશે પણ એના માટે આજ ના બગાડાય સંબંધો વણસેલા હોય તો તેને સુધારાય।
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcoem daksha d mistry Unlike · Reply · 1 · Just now