રામધુન
મંગળવાર,15 જાન્યુઆરી 2019
રામધૂન લાગી રે મનવા
રામધૂન મન માં લાગી
અમે નથી સાધુ કે સન્યાસી
બસ સંસારી અને ભોગવિલાસી।.. રામધૂન મન માં લાગી
નથી મન માં કોઈ નો ભરોસો
બધા પૂછે મારા અપરાધો
હું જાણી ને રહું અજાણ્યો
જિંદગી નો મધુર રસ માણ્યો।...રામધૂન મન માં લાગી
આ તો જીવન ની ઘટમાળા
સંજોગો થી મળી ભેટાણા
ના જોયું કોઈ મુરત કે ટાણું
પણ જીવન નું ગાયું ગાણું।...રામધૂન મન માં લાગી
ઝેર સમજી કટોરો ના પીધો
એનો અરથ સમજી લીધો
મળ્યો છે મનખો અમૂલો
જે સમજે એને મહામૂલો।...રામધૂન મન માં લાગી
જીવન સબરસ છે કે નિરસ
ફાવી જાય તો લાગે સરસ
રાખો સમતા અને મમતા
આવા મેળા કદી ના મળતા।...રામધૂન મન માં લાગી
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
જીવન સબરસ છે કે નિરસ ફાવી જાય તો લાગે સરસ રાખો સમતા અને મમતા આવા મેળા કદી ના મળતા।...રામધૂન મન માં લાગી હસમુખ અમથાલાલ મહેતા