સંસ્કાર
શુક્રવાર,5 ઓક્ટોબર 2018
એક જ છે આધાર
અમે રહયા નિરાધાર
આપનો આશરો જો મળે કિરતાર
તો ભવ નો થાય ઉદ્ધાર।
રટું છું દિલ થી નામ
હવે રહી નથી હામ
થઇ જશે મારું કામ તમામ
મારી મનપર નથી લગામ।
મને મળ્યા એવા સંસ્કાર
માતાપિતા નો ઘણો ઘણો ઉપકાર
સદગુણો નો કર્યો દિલ થી સ્વીકાર
મુક્યો એને અમલ માં અને કર્યો અંગીકાર।
નથી અફસોસ ગરીબી માં રહેવાનો
નથી રાખ્યો અભિગમ કોસવાનો
જે મળ્યુ છે તેને પ્રેમ થી આવકારવાનો
મન માં અત્યારે વિચાર આવ્યો આભાર માનવાનો।
શ્રદ્ધા મારી તૂટે નહિ
વિશ્વાસ મારો ડગે નહિ
હું નિશ દિન કરું પ્ર્રાર્થના પ્રેમ થી
એવી જ છે કામના આણે દિલી અભ્યર્થના।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
શ્રદ્ધા મારી તૂટે નહિ વિશ્વાસ મારો ડગે નહિ હું નિશ દિન કરું પ્ર્રાર્થના પ્રેમ થી એવી જ છે કામના અને દિલી અભ્યર્થના। હસમુખ અમથાલાલ મહેતા