આશીર્વાદ વરદાન માં
રવિવાર। 5 ઓગસ્ટ 2018
થોડી સમજણ ફેર છે
ખાલી મગજ નો કેર છે
જયારે શરીર જ નશ્વર છે
ત્યાર રખેવાળ ઈશ્વર જ છે।
નામ રોશન કરો
કુટુંબ નેઉચ્ચ સ્થાન અપાવો
ઘર માં ધર્મ નું સ્થાપન કરો
વડીલો નો આદર કરો।
ભલે બધું અસ્થાને હોય
પણ શોભાયમાન હોય
તેનો સદુપયોગ થતો હોય
બધા તેનાથી રાજી રહેતા હોય।
કોણ ધન નો સંચય નથી કરતું?
પણ સવાલ એ છે કે તેને સ્વચ્છંદતા થી નથી વાપરતું
ધન વગર નો પુરુષ નમાલ્ય કહેવાય
આવું અપમાન કોઈ ના થી પણ ના સહેવાય!
જીવન નો અંત એ એનો અંત નથી
"આત્મા તો અનંત છે" આ સમજાવાની જરૂર નથી
રહેણીકરણી અને આદરભાવ જ સાથે આવવાનો છે
સ્વર્ગ માં જવાનો આ એકજ તો પરવાનો છે।
"હા પસ્તાવો જિંદગી માં"આ જ એનો ઉપાયછે
આમ તો આદમી લાચાર અને નિરૂપાય છે
"જેવા ની સાથે તેવા" નું વલણ નિંદનીય છે
"ધની થઇ ને નિર્ધન"નો આડંબર અશોભનીય છે
મન તું સમજી લે સાન માં
નથી સુખ વૈભવ કે ધન માં
જે કમાયું હશે ભાથું દાન માં
મળશે તને આશીર્વાદ વરદાન માં।
હસમુખ અમથાલાલ મહેતા
welcome Rupal Bhandari 23 mutual friends 1 Manage Like · Reply · 1m
મન તું સમજી લે સાન માં નથી સુખ વૈભવ કે ધન માં જે કમાયું હશે ભાથું દાન માં મળશે તને આશીર્વાદ વરદાન માં। હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome Amrishbhai Mehta 43 mutual friends Message