વેદિયા નું ઉપનામ
બોલ ના ના હોય મોલ
એને બોલાયજ નહિ ગોલમોલ
સત્ય વચન એટલે સત્યવચન
એમાં ના હોય કોઈ ચયન।
લોકો મજાક ઉડાવશે
હસતા હસતા એ પણ પૂછશે
તમારે હસ્તે મોએ સ્વીકારવાનું છે
ના જોઈતા બોલ ને નકારવાનું છે।
સત્ય નો આગ્રહ જરૂરી છે
બધીજ જગાએ એનો ઉપયોગ બિનજરૂરી છે
ઘણી વખત મૌન ધારણ કરવું ઘણી સારી નિશાની છે
જરાક કાચું કપાયું તો સમજો બદનામી જ છે।
લોકો 'વેદિયા નું ઉપનામ' ના આપે એ જોવું જરૂરી છે
બધાની વચ્ચે કૈંક બોલવું એ જરૂરી નથી
વણમાગી સલાહ અપમાન ને નોતરે છે
બધા જાણતા હોય છે પણ અજાણતા છાવરે છે।
તમારે સાવચેત રહી રસ્તો શોધવા નો છે
લોકો બોલતા રહે તો બોલવા દેવાનો છે
તમે જો સાચા રસ્તા પર હશો તો ઉની આંચ આવવાની નથી
પણ હંમેશા કળિયુગ માં આ ઉક્તિ કામ પણ આવવાની નથી।
બધાને રાતોરાત લખપતિ બનવું છે
પોતાનું ઘર સલામતી માં રાખવું છે
બીજાનું જે થવાનું હોય તે થાય
પણ મારું ઘર સમૃધ્ધ થાય।
આવા સંસાર માં આપણે આગળ વધવાનું છે
પોતાની જાત ને સાચવીને બધા થી નમવાનું છે
કમાઈ શકૉ પરસેવાથી તો મોજ થી જમવાનું છે
બાકી તો જે ઉદય પામ્યું છે તેને આથમવાનું જ છે।
welcome amrish chavda Unlike · Reply · 1 · Just now
આવા સંસાર માં આપણે આગળ વધવાનું છે પોતાની જાત ને સાચવીને બધા થી નમવાનું છે કમાઈ શકૉ પરસેવાથી તો મોજ થી જમવાનું છે બાકી તો જે ઉદય પામ્યું છે તેને આથમવાનું જ છે।
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome yogina abhilash Unlike · Reply · 1 · Just now