રકાસ થયો કોનો
શક્તિ પણ નહિ
અને સમજશક્તિ તો જરાપણ નહિ
સમજાવવું છે તો વર્તન માં સુધારો કરો
ધીરે રહીને ને પગપેસારો કરો।
કેળવો જો વિશ્વાસ
તો બંધાશે આસ
બની જશો ખાસમખાસ
સુધરી જશે અવળચંડુ માનસ।
વાનરવેડા થોડો સમય ચાલે
લોકો ને એમ કે કરતો રહે ભલે
આવી જશે સાન ઠેકાણે
જ્યારે કૂટાશે ગામ ના થાણે।
સમય ની થપાટ જ કાફી છે
સુઘરવા માટે બધાને માફી છે
કોઈ સંત બને અને કોઈ સૂફી
આજ તો છે જીવન ની ફિલોસોફી।
ડગર ડગર પર અંતરાય
એમાં પાછી ભીન્ન ભીન્ન રાય
કોઈ કહે રામ અને કોઈ કહે રહીમ
શીયાળા માં બધાને લાગે સરખું હિમ।
માનવ સ્વાભાવ એટલે વાનરવેડા
ના જુએ વેળા કે કવેળા
મતલબ માટે હજારવાર સલામ ભરે
મતલબ સરે એટલે કહે 'અરે'
છે તો એકજ જગત
પણ આપણે તેને બનાવી રમત
ખુબ કર્યો ઉપહાસ ગરીબ નો
અંતે રકાસ થયો કોનો?
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
અને સમજશક્તિ તો જરાપણ નહિ સમજાવવું છે તો વર્તન માં સુધારો કરો ધીરે રહીને ને પગપેસારો કરો।