ગરીબાઈ નો પહાડ
ભૂખ ને વધારે જાણો
અને એનું સુખ માણો
ગરીબાઈ માં આ શ્રાપ છે
ભૂખ લાગવી એ મોટું પાપ છે।
શ્રીમંતો માટે પણ અભિશાપ
ખાવાનું મર્યાદિત અને માપસર
ઘણીવાર તબીબો ની મનાઈ
સામે ખાવાનું હોવા છતાંતવાઈ।
ગરીબ ને ભૂખ ઘણી લાગે
આંતરડા માં કુરકુરિયા બોલે
ખાવાનું ઘણી વખત નસીબ ના થાય
ગરીબ નો ઘણીવાર ભોગ લેવાઈ જાય।
કર્મ ની ઘણીજ છે કઠિનાઈ
ખિસ્સા માં ના હોય પાઈ
ખાવા માટે મન માં ઘણીજ ઊત્કંઠા હોય
પણ પૂરતું ખાવાનું નસીબ માં ના લખાયું હોય।
જેની પાસે છે તે ખાઈ શકતા નથી
જેને મળતું નથી તેને મુસીબતો નો પાર નથી
માગે મોત પણ મળતું નથી
ગરીબાઈ નો પહાડ ચડવા બનતો નથી।
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
જેની પાસે છે તે ખાઈ શકતા નથી જેને મળતું નથી તેને મુસીબતો નો પાર નથી માગે મોત પણ મળતું નથી ગરીબાઈ નો પહાડ ચડવા બનતો નથી।