આજ મારી ભાવના Aaj Maari Poem by Mehta Hasmukh Amathaal

આજ મારી ભાવના Aaj Maari

આજ મારી ભાવના

તમે મન મૂકી ને વરસો
ના રાખશો કોઈ વસવસો
જીવન ની એક પળ છે મીઠી
આવતી કાલ કોણે છે દીઠી?

હું સમય ને પારખું છું
તેથી જ આશા રાખું છું
ઘનઘોર વાદળો ને ધમરોળવા દો
એને મન મૂકી ને વરસવા દો।

ધરતી નો સૂકો પટ
એને પણ માંડવું છે પેટ
અસંખ્ય જીવો ને આપવો છે નવો અવતાર
સજવો છે નવોઢા નો શણગાર।

કોણ કહે છે બે પળ જીવવા માટે ઓછી છે?
આખું જીવન ઝહેર ઘોળવા માટે થોડું છે?
મારે તો હવા ને સંગ મહાલવું છે
સજાવેલા સપના ને જીવંત રાખવું છે।

અસંખ્ય તારા રોજ આકાશ માં થી ખરે છે
ધરતી પર પણ બેસુમાર જીવો મરે છે
પસ્તાવાનો બોજ મારે વહન કરવો નથી
એક પળ નો પણ મારે વ્યય કરવો નથી।

'વસુધૈવ કટુંમ્બક્મ ' આજ મારી ભાવના
જેટલા ધરતીપર ત બધા ભાઈ ભાંડુ આપણા
ક્યાં અને ક્યારે આપણે ફરી મળવાના?
ક્યાં છે વેળા આપણી પાસે ફરી પ્રેમભર્યા વાતાવરણને ઉછેરવાના?

આજ મારી ભાવના Aaj Maari
Sunday, April 16, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome k, s, bheda Like · Reply · 1 · Just now

0 0 Reply

welcome k, s, bheda Like · Reply · 1 · Just now

0 0 Reply

welcome trupti joshi Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 April 2017

welcome manisha mehta Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 April 2017

તમે મન મૂકી ને વરસો ના રાખશો કોઈ વસવસો જીવન ની એક પળ છે મીઠી

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success