આવી સમજ
મંગળવાર,20 નવેમ્બર 2018
આપું તમને હું ઘણાઘણા આશીર્વાદ
મન થી કરતો રહું મંગલમય સંવાદ
મારા દિલ થી ઉઠે "એક સંવેદનાના સુર"
મન ના તરંગો નાચી ઉઠે અને થઇ જાય આતુર।
તમે છો મારા બાળસમાન
ના હોય તમને કોઈ અભિમાન
થઇ જાય કદી આવેશ માં ઉચ્ચારણ
પણ મનને લાગે એ શર્મસાર।
આવા જીવન નો એવોજ છે સાર
પણ જોજો કદી ના પડી જાય દરાર
મન ને મક્કમ રાખી ના પાડજો ધરાર
ભૂલ થઇ જાય કદી તો કરી લેજો એકરાર।
આવી સમજ જો ધરાવે બીજા
ગગડી જાય બીજા બધાના હાંજા
કંઈપણ ખરાબ કરવાની ના કરે હિમ્મત
અને કરે તો ચૂકવવી પડે, એને કિમ્મત।
જીવન આપણા બધાનું પ્રતિબિંબ
ખારાખોટા નું થાય પ્રદર્શિત બિંબ
સદ્દવિચારી એનું અનુગ્રહણ કરે
અવિચારી એનું ખોટું અર્થઘટન કરે।
હસમુખ અમથાલાલ મહેતા
જીવન આપણા બધાનું પ્રતિબિંબ ખારાખોટા નું થાય પ્રદર્શિત બિંબ સદ્દવિચારી એનું અનુગ્રહણ કરે અવિચારી એનું ખોટું અર્થઘટન કરે। હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
જેમ કે એક સુંદર કવિતા, સર આવી પ્રિય કવિતા, આ ભાષામાં કવિતા વાંચવા જેવી લાગણીશીલ લાગણી આ વિચારો શેર કરવા બદલ આભાર. ભગવાનની આશીર્વાદ, એમેન