અકૃતજ્ઞતા
એતો અકૃતજ્ઞતા કહેવાય
જીવતા ના સહેવાય
ગયા પછી બધું કહેવાય
એને અંજલિ આપી એવું કદાપી ના કહેવાય।.
જીવતા જીવ ને તમે દુઃખી કર્યે રાખ્યો
બધી વાતો થી અંધારામાં રાખ્યો
માનપાન અને વિશેષ તો તમે તેમને નોંધમાં જ ના લીધા
જાણે બોલવા માટે સમ અને આબોલા લીધા।
કોણે કીધું તમને કે તે વ્યક્તિ તમારા જીવન માં વિશેષ હતી!
અને તેમજ હતું તોત અમે તેને શેષ જ ગણી હતી
દરકાર અને અજંપો તમે તેને આપ્યો હતો
જીવન નો બધોજ અણગમો તમારી દેન હતો।
આગે તે તમારી વચ્ચે નથી
તમને તેની ગેરહાજરી સાલે છે
'તેનું એક ખૂણા માં પડી રેહવું' પણ એક મોભા નું ચિહ્ન હતું
ઘરના મોવડી અને તે પણ સસ્મિત અવમોદન હતું।
આજે તમે સમાજ માં પંકાતા નથી
તમારું અસ્તિત્વ ફક્ત ઘર સુધીજ સીમિત છે પણ લોકો ને માન્ય નથી
તમે શું કર્યું તેનો લોકો ને ખ્યાલ છે
પણ હવે તેનો વિચાર કરવો એ માત્ર ખલેલ જ છે।
માણસ ની કદર માણસ જ કરે
ખરો માણસ એજ કે જે જીવતા ની પરવા કરે
પુષ્પો ચડાવો કે પછી ચંદન નો હાર દેખાડવા માટે
તમે ગુમાવી ચુક્યા છો તમારું સ્તર ફરી હાંસલ કરવા માટે।
welcome poojaba jadeja Unlike · Reply · 1 · Just now
welcoem sandip kumar vasava Unlike · Reply · 1 · Just now
welcoem divyani vaghela Unlike · Reply · 1 · Just now · Edited
welcoem pitabar parmar Unlike · Reply · 1 · Just now
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome tribhovan panchal Unlike · Reply · 1 · Just now