અમૃત નો પ્યાલો
રવિવાર,1 જુલાઈ 2018
મધુરતા નો સેતુ એટલે સંબંધ
તે તો રહેવો જ જોઈએ અકબંધ
કોઈ ના બની રહે મૂક પ્રેક્ષક અને અંધ
એતો છે સ્નેહ નો સંઘરાયેલો બંધ।
સાચવતા આવડવું જ જોઈએ
તેના માં ખટાશ કદી ના આવવી જોઈએ
કરો પ્રયાસ એવો કે તેના માં વૃદ્ધિ જ થતી રહે
ગેરસમજ ઉભી થવાનો કોઈ અવકાશ જ ના રહે।
સહન કરી જજો એકવાર
જો થઇ જાય પહેલો વાર
ખાઈ જશો અપમાન નો કડવો ઘૂંટ
હંમેશા બની રહેશે સંબંધ અટુટ।
ઝેર ના પારખા ના હોય
સંબંધો ને કસોટી ની એરણ પર કદી ના મુકાય
સંબંધ એતો વર્ષો જૂનો ચાલી આવતો પ્રવાહ
એ ની તો પ્રશંષા જ હોય અને થતી રહે વાહવાહ।
ના જીરવી શકો એના તાપ ને
તો ના વહોરશો એના સંતાપ ને
એ તમોને ભસ્મીભૂત કરી દેશે
સંબંધો ની વણઝાર ને બિલકુલ થંભાવી દેશે
એનો મહિમા ઘણો મોટો છે
બાકી સંસાર માં વેરઝેર નો ક્યાં તોટો છે!
લોકો વાતવાત માં મોઢુ ફેરવી દે છે
અમૃત નો પ્યાલો મોઢા માં જાય તેના પહેલા જ ઢોળી દે છે।
હસમુખ અમથાલાલ મહેતા
welcome Veerbhadrashih Solanki Parimal 1 Manage Like · Reply · 1m
welcome Amrishbhai Mehta 42 mutual friends 1 Manage Like · Reply · 1m
welcome Mohammedhanif Pathan Friend Friends welcome Manisha Mehta 32 mutual friends 1 Manage Like · Reply · 1m
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
એનો મહિમા ઘણો મોટો છે બાકી સંસાર માં વેરઝેર નો ક્યાં તોટો છે! લોકો વાતવાત માં મોઢુ ફેરવી દે છે અમૃત નો પ્યાલો મોઢા માં જાય તેના પહેલા જ ઢોળી દે છે। હસમુખ અમથાલાલ મહેતા