અણીશુદ્ધ અને નિષ્કલંક
ના કહું હું કોઈ ને દિલ ની વાત
ઊડતી રહેતી મન માં જાણે જીવાત
પણ જીવન છે અને જીવવા નું છે
અણીશુદ્ધ અને નિષ્કલંક બતાવવાનું છે।
શા માટે હું કોઈના માટે લડુ?
અધોગતિ ના ખાડા માં જાતે પડું
અને પંડે બદનામી નું લેબલ
જે લાવે નીચું તમારી લેવલ।
જીવન નો એકજ માર્ગ
પામવું છે ને સ્વર્ગ?
રાખો એકજ ફર્ક
શા માટે આપણે કરીએ તર્ક અને વિતર્ક?
એકજ માર્ગ છે શૂરા નો
રહેવા નો હક ધરાપર નો
માથું ઊંચું રાખી ને કહેવાનો
માનવ જાત ને બતાવવા નો।
હું તો જીવીશ
અને બતાવીશ
પ્રભુ ની દુનિયા કોઈ ફર્ક નથી
એ ના સમજાય એવો કોઈ મર્મ નથી।
જીવન આપણ ને મળ્યું છે
આશીર્વાદ એના મળ્યા છે
રસ્તો ખુલ્લો છે અને દ્વાર પણ ઉઘાડા
શા માટે આપણે કરીએ ઉપાડા?
કરી લો નીમ એકજ
નથી તમારી કોઈ હસ્તીજ
નાના મગતરા સિવાય તમે કૈંજ નથી
શાંતિ થી સમય પસાર કર્યા સિવાય કોઈજ આરો નથી।
Nayan Nimbark Aabhar.. Like · Reply · 1 · 1 hr Remove
Nayan Nimbark Nayan Nimbark Aakhi rachna 'Anant' page upar chhe.. Ae tame vanchi shako chho.. Like · Reply · 1 · 7 mins
કરી લો નીમ એકજ નથી તમારી કોઈ હસ્તીજ નાના મગતરા સિવાય તમે કૈંજ નથી શાંતિ થી સમય પસાર કર્યા સિવાય કોઈજ આરો નથી।
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome Nayan Nimbark