અનુમોદના
ગુરુવાર,6 ડિસેમ્બર 2018
ઉચ્ચકુળ ની પ્રાપ્તિ કોને થાય?
જેણે દાદા ની ભક્તિ કરી હોય
પોતાનું સર્વસ્વ અર્પણ કયું હોય
જૈન ધર્મ નું મૂલ્ય સમજ્યું હોય।
આવો શ્રેષ્ઠ ધર્મ કોને પ્રાપ્ત થાય?
જેના પાર પ્રભુ ના આશાર્વાદ હોય
પાછલા જન્મ ની પુણ્યકુંડલી હોય
જેને પોતાનો માનવધર્મ સાકાર કર્યો હોય।
જે પોતાના ઉચ્ચ કુળ નું ગૌરવ નથી લઇ શકતો
જે એને ગૌરવરણીત કરવા નો પ્રયાસ નથી કરતો
જેના પાસે અઢળક સંપત્તિ હોવા છતાં પંડયાં નથી કરી શકતો
સમજો સાન માં કે આવો મૌકો વારંવાર નથી મળતો।
કરુણા એક જ આપણો સિદ્ધાંત
રાખો એને સજીવન, જીવન પર્યન્ત
અનેક જીવો આવ્યા અનેઅનંત ને પામ્યા
આપણ ને જીવન ના અને માયા ના રંગ ગમ્યા।
સરળતા અને સાદાઈ
આમાં જ છે આપણી ભલમનસાઈ
કર્યું હશે કોઈ નું થોડુંઘણું પણ સારું
સમજી લો તમે બાંધ્યું જીવન નું પુણ્યભાથુ।
સાચું બોલવાના કઈ પૈસા થતા નથી
કોઈ ને દુખી કરીને આપણે કઈ કમાતા નથી
વચન અને કર્મ એજ આપણું જિનશાશન
બને તેટલુ કરીએ એનું અનુમોદન
હસમુખ મેહતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
સાચું બોલવાના કઈ પૈસા થતા નથી કોઈ ને દુખી કરીને આપણે કઈ કમાતા નથી વચન અને કર્મ એજ આપણું જિનશાશન બને તેટલુ કરીએ એનું અનુમોદન હસમુખ મેહતા