બળાપો
મંગળવાર,26 માર્ચ 2019
કોઈ કાઢતો બળાપો
કોઈ સંસાર ને સંતાપતો
કોઈને વખો સતાવતો
ને કોઈને સમો માફક આવતો।
ના મળશે તમને કોઈ અહિંયા સુખી
કોઈને કોઈ વાતો થી રહેતો દુઃખી
કરતો પ્રયાસ માનવા ને સુખી
પણ આગળ જતાં થઇ જતો મતલબી।
આવા સંસાર નો પડકાર જીલવો
માની લો અંગારા ને હાથ માં પકડવો
છોડવા કરો તો પણ છોડી ના શકાય
જીવ પાછળ થી શોક કરે અને પસ્તાય।
આવ્યા છો તો હિમ્મત થી સામનો કરો
રાખો એકજ સૂત્ર "કરો યા મરો "
ફરી જશે એકવાર કાળચક્ર
કાયમ નહિ રહે એકજ ચક્ર।
સંસાર નો છે એક જ નિયમ
નથી રહેતી એકજ વસ્તુ કાયમ
ગરીબી પછી આવે અમીરી
કોઈ થઇ જાય ગુણી અને કોઈ બતાવે તુમાખી।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem