બળતરો સ્વભાવ
શુક્રવાર,1 ફેબ્રુઆરી 2019
વિચારી લે મનવા
સુખ કાજે તારે ભજવા
ના મન થી કોઈ ને પજવવા
ખાલી મન ને સંતોષવા।
જીજીવિષા મન માં છે ઘણી
પણ થાય કદી ના પુરી
જેમ જેમ મળે તેમ તેમ વધતી જાવે
મન કદી સંતોષ ના પાવે।
મન માં અહં ભર્યો છે ઘણો
સ્વભાવ પણ છે બળતરો
બીજા નું સુખ જીરવાય નહિ
અને પોતાનું દુઃખ સહન થાય નહિ।
જીવનપંથ છે અઘરો ઘણો
તેને સમજવો પણ મુશ્કેલ ખરો
સંયમ અને સહનશીલતા જ કામ આવે
કદી બુરી નજર કરી ના ફાવે।
જે પણ સમજી ગયો સાનમાં
તેનું જીવન વ્યતીત થાય માન માં
પ્રભુ ના ચરણો માં જે માથું મૂકે
તેને દુઃખ કદી ના સતાવે।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
જે પણ સમજી ગયો સાનમાં તેનું જીવન વ્યતીત થાય માન માં પ્રભુ ના ચરણો માં જે માથું મૂકે તેને દુઃખ કદી ના સતાવે। હસમુખ અમથાલાલ મહેતા