ભારત સપૂત
સોમવાર,10 ડિસેમ્બર 2018
આજ છે ભારત ના સપૂત નું બહુમાન
એના માન માં સ્થપાયો નવો કીર્તિમાન
ગગન ને ચુમતી વિશાળકાય પ્રતિમા
ધન્ય છે ગુજરાત ના સપૂત નો મહિમા।
ભારત ને જો આજનું હિન્દુસ્તાન કહેવું હોય
તો આ સપુત નું સંભારણુ રાખવાનું હોય
અડધો અડધ રાજવાડા તો ગુજરાત માં જ હતા
તેમને અખંડ ભારત માં સમાવવા ના પ્રયત્નો હતા।
સરદાર પટેલ ની વિચિક્ષણ તા અને બુદ્ધિમાની
વિલીનીકરણ થઇ ગયું વગર કોઈ હાનિ
ઘણા બધા વિરોધ હતા છતાં ભારત માં જોડાયા
સરદારે સમજાવટ થી બદલી નાખી હવા।
હૈદરાબાદ અને જૂનાગઢ પાકિસ્તાન માં હોત
ત્રાવણકોર અને ભોપાલ આપણા ના રહયા હોત
દેશ ની ભૌગોલિક સ્થિતિ જ જુદી હોત
આપણું ભારત કેટલાય ભાગો માં વહેચાયેલું હોત।
પ્રશ્ન થાય છે કે જો સરદાર વધારે જીવ્યા હોત તો?
ભારતઆર્થિક રીતે સ્વાવલંબી અને મજબૂત સ્થિતિ માં હોત
કોઈપણ દેશ આંખ ઊંચી કરી ને ના દેખત
આપણ ને બીજા દેશો ધા નાખવી ના પડત।
હસમુખ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
પ્રશ્ન થાય છે કે જો સરદાર વધારે જીવ્યા હોત તો? ભારતઆર્થિક રીતે સ્વાવલંબી અને મજબૂત સ્થિતિ માં હોત કોઈપણ દેશ આંખ ઊંચી કરી ને ના દેખત આપણ ને બીજા દેશો ધા નાખવી ના પડત। હસમુખ મહેતા