દશા
શનિવાર,9 માર્ચ 2019
ના આવ્યો મને થોડો અણસાર
જીવન માં છવાયો ઘેરો અંધકાર
પછી ભાસવા લાગ્યો સુનકાર
મને ભજવા ને પ્રેર્યો કરતાર।
જીવન નું સુખ કાયમ ના રહે
દુઃખ ની વેળા આવતી રહે
મન માં લાગણીઓ ઉભી કરે
ભાવી નો પડગો સંભળાવતો રહે।
વીતેલી પળો યાદ અપાવે
મન ને ઘણું ઘણું સમજાવે
સમય જ છે ઓસડ ના દાડા
ના ઓછું થાય જો ના લેવાય ધડા।
આપણે જ એના જવાબદાર
મુકાવે દોટ આંધળી બનવા પૈસાદાર
પણ એમના ફીટે દળદર
તમે બની જાવ ઉલટા દેવાદાર।
આવાજ સમયે થાય ધીરજ ની કસોટી
કુદરત તો ઉગામે એની સોટી
તેમ છતાં આપણે મારતા રહીએ સોગઠી
તો થઇ જાવ તૈયાર ખમવા દશા માઠી।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem