દુઃખ ના દહાડા
ગુરુવાર,20 ડિસેમ્બર 2018
મારા દુઃખ ના દહાડા વીતી ગયા
અમંગળ દશા ની દૂર થઇ છાયા
મને સમજણ ના પડી તારી માયા
હુ રહ્યો હતાશ જ્યારે કાળા વાદળ છવાયા।
પળે પળે હું ગભરાઈ જાઉં
મન ને કમને હું સમજાઉં
રાતે શમણાંમાં થી અચાનક બેથા થઇ જવાય
મન માં જાણે ઢોલ નો અવાજ સંભળાય।
સુખ પામવા ને પણ ધીરજ જોઈએ
એકદમ પામી ને વિચલિત ના થઇ જઈએ
એને જીવન માં ધીરે ધીરે પચાવીએ
દુઃખ ના દહાડા ને પણ કદી ના ભૂલીએ।
સુખ ના જૉઇને અંતરંગ
કદી ના અનુભવીએ કે થઇ જશે મોહભંગ
એ તો આવે ને પાછા ચાલી જાય
સુખ ની છાયા ને જતાં વાર ના થાય
આપણ ને માયા લોભાવી જાય
દુઃખ આવે તો પહાડ બની જાય
કાયર દિલ નો માનવી સંસાર ટૂંકાવી જાય
કોઈ જ વીરલો સમજી ને જીવી જાય।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
આપણ ને માયા લોભાવી જાય દુઃખ આવે તો પહાડ બની જાય કાયર દિલ નો માનવી સંસાર ટૂંકાવી જાય કોઈ જ વીરલો સમજી ને જીવી જાય। હસમુખ અમથાલાલ મહેતા