એક આદર્શ
રવિવાર,30 સપ્ટેમ્બર 2018
ઝઝૂમી રહ્યો કુદરત ની સામે
પણ હામ નથી રહીં હવે
વળતા પાણી ક્યારે થશે?
સમય નું વહેણ ક્યારે બદલાશે?
મારે પણ અભિગમ બદલવો પડશે
સમય ને પણ માન આપવું પડશે
બધાના વિચારો નું જતન કરવું પડશે
"કરેલા પતન" ની આગાહી નો મુકાબલો કરવો પડશે
જીવન માં પણ હોય એક આદર્શ
કરવો પડે હંમેશા આપણે પરામર્શ
સલાહ, સૂચન થી જ પ્રગતિ થાય
અધોગતિ માટે કોઈ અવકાશ જ ના હોય।
આજે ભલે કોઈ જરૂરત ના હોય
કાલે એની પ્રાપ્તિ માટે ની માંગ જરૂર ઉભી થાય
સમય ને અનુરૂપ થઇ વધાય
ઉત્તરોત્તર પ્રગતિ ના સોપાન સર કરતા જવાય।
જીવન માં આદર્શ ના મંત્ર ને અપનાવો
સફળતા ની હારમાળા ને આગળ વધારો
રહેવો જઈએ પ્રવાહ એકધારો
લોકો નો પણ મળવો જોઈએ સથવારો।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem