એકલો જાને રે
મંગળવાર,29 જાન્યુઆરી 2019
એકલો આવ્યો છે
એકલો જાને રે
નથી કોઈ સાથી કે સંગાથી
કાપી લે ને પંથ અળગાથી।
ખુલ્લા હતા હાથ જનમ્યા તા જ્યારે
ખુલ્લા રહી ગયા હાથ, મરી ગયા ત્યારે
સુધારી લે ભૂલ ને જીવન માં
પ્રણ પણ લઈ લે સંસાર માં।
સંસાર ની માયા પુરી માણી લે
બધા અભરખા પુરા કરી લે
પણ જો જે, ભૂલ કદી થાય નહિ
જીવન કદી એળે જાય નહિ।
સંસાર એટલે ભવરૂપી સાગર
મારી તરી ને જાવું પેલે પાર
વચ માં પડી છે મુસીબતો ની વણઝાર
સાચવી ને કરજો એનો ઉદ્ધાર।
મને નથી જડતો છૂપો દ્વાર
બસ ફરતો રહ્યો બહાર ને બહાર
હવે તો થાકી ને આવ્યો છું શરણે
પ્રભુ પ્રેમ થી પડું છું તમારે ચરણે।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
એકલો જાને રે મંગળવાર,29 જાન્યુઆરી 2019 એકલો આવ્યો છે મને નથી જડતો છૂપો દ્વાર બસ ફરતો રહ્યો બહાર ને બહાર હવે તો થાકી ને આવ્યો છું શરણે પ્રભુ પ્રેમ થી પડું છું તમારે ચરણે। હસમુખ અમથાલાલ મહેતા