હાથ ધોઈ નાખ્યા
શનિવાર,2 માર્ચ 2019
ભગવાને માનવી ને ધરતીપર મોકલી હાથ ધોઈ નાખ્યા
અને આપી તદ્દન નવીજ વ્યાખ્યા
નહોતી કરી આવી ભયાનક કલ્પના
કરતા પહેલાં માનવજાત ની રચના।
પહેલા મૂક્યું ધબકતું અને ડરતું દિલ
પણ મૂકી એમાં થોડી ઢીલ
પ્રેમનો પ્રવાહ વહેતો કર્યો
પણ એમાં થોડો કટુતા નો અંશ ભર્યો।
મગજ માં મૂકી થોડી થોડી રાઈ
પાછી આપી તક કરવાને સફાઈ
બોલવાની કળા સાચેજ ફાવી ગઈ
પોતાના ભાઈ-ભાંડુઓ ને હંફાવી ગઈ।
માનવજાત નો કોઈ ના કરે ભરોસો
ખબર ના પડે કે ક્યારે આપશે જાસો?
પાછ આપતા જાય દિલાસોથઇ ને ઠાવકા
આવા માણસો પાછો દેખાડે પોતાનો ઠસ્સો।
કોઇ થઇ જાય મોટા સંત કે ફકીર
પછી ખેંચી લે લીટી કે લકીર
આનાથી બની જાય તમારી તકદીર
જીવન માં રહી જાય અસ્મર્ણીય તસ્વીર।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem