હરિ, હરિ
મંગળવાર,28 નવેમ્બર 2018
આપણ ને વારંવાર સંકેત મળવા લાગે
અક્ષરધામ જવાના ભણકારા વાગે
એક આપણું મન દોડે એક ડગલું આગે
સમય રહેતાં કરવા માંડે વગે।
સારા કાર્યો માટે સારું જ લાગે
એ માટે આપણું મગજ પણ ભાગે
સારા કામ નો કોઈ વખત ના થાય વસવસો
એવો તો હોયજ આતમ ને ભરોસો।
જવાની માં આપણે ગાફેલ થઇ જઈએ
એકબીજા ની દરકાર પણ ના કરીએ
નાનીનાની વાત માં સંબંધ બગાડી નાખીએ
જાણી જોઈને એક બીજા માટે વિઘ્ન ઉભું કરીએ।
જ્યારે જીવન માં પાનખર આવે
ત્યારે અમંગળ સપના સતાવે
પ્રભુ ને યાદ કરી સત્કર્મ કરવાનું મન થાય
મંદિર તરફ રોજ પ્રયાણ થાય અને ભજનકીર્તન થાય।
ઘણા સદ્દગૃહસ્થો પોતાનો તારવી લે
ઘણા પ્રલોભનો વચ્ચે મન ને મનાવી લે
બને ત્યાં સુધી માયામાં થી આલગ થઇ જાય
જીવન નો ધ્યેય એકજ રાખી "હરિ હરિ "કરતા થાય।
હસમુખ મેહતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
ઘણા સદ્દગૃહસ્થો પોતાનો તારવી લે ઘણા પ્રલોભનો વચ્ચે મન ને મનાવી લે બને ત્યાં સુધી માયામાં થી આલગ થઇ જાય જીવન નો ધ્યેય એકજ રાખી હરિ હરિ કરતા થાય। હસમુખ મેહતા