હરખાવું નહી
મંગળવાર,11 સપ્ટેમ્બર 2018
આ દુનિયા માં સઘળું છે મિથ્યા
પછી કેમ હોય વ્યથા?
જીવન થશે અકારૂં
ગુમાવીશું આબરૂં।
તારું મારું અહિંયા કોઈ નથી
જે જોઈએ એ મળતું નથી
આ તો છે બધા ભાગ્ય ના ખેલ
તેની કૃપા થી બધું થઇ જાય રેલમછેલ।
ધનકૃપા થી હરખાવું નહી
દરિદ્રતાથી ગભરાવું નહી
મધ્યમ હોય જો હાલત
તો તા ના રાખવો કોઈ તફાવત।
સંસારસાગર તરવો છે મુશ્કેલ
પણ આવે તેનો ઉકેલ
મન કરો મક્કમ અને સાથે નિરધાર
પ્રભુ નો લો આશરો અને રાખો આધાર।
આવ્યા છો તો કમાઈ ને જશો
સારા નામનો જશ ખાટી જશો
ના કમાવો કોઈ ની બદદુઆ
બંધુઓ છે બધા આપણા।
જો નથી આવવાનું સાથે
તો પછે કેમ લોછો માથે
મળતા અને ભળતા નો ફરક
લઇ જશે તમને નરક
આવા મોંઘેરા જીવન નો
સમય છે સજીવન કરવા નો
માનવતા મરી પરવારી નથી
અને જીવન જીવવાની હોંશ ગુમાવી નથી।
હસમુખ અમથાલાલ મેહતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
આવા મોંઘેરા જીવન નો સમય છે સજીવન કરવા નો માનવતા મરી પરવારી નથી અને જીવન જીવવાની હોંશ ગુમાવી નથી। હસમુખ અમથાલાલ મેહતા