હેમાળો ગળવો
મંગળવાર,20 નવેમ્બર 2018
મન માં ઉઠ્યો વિચાર અવનવો
જીવતે જીવ હેમાળો ગળવો
જીવન નો સુખદ આપે અંત, એનો વિચાર કરવો
પાપ કર્યું હોય તો નિવારણ સંકલ્પ કરવો।
આપણા ઘરડા ઓ હેમાળે ગળવા જતા
અથવા તો કાશીએ જઈ કરવત મુકાવતા
જીવન ની અંતિમ ક્ષણો ને સાચવતા
જીવન ના પાખંડ ને ખુબ સારી રીતે સમજતા।
આ આપણી સમજ બહાર ની વાત
સાન ક્યારે આવે, જ્યારે ગધેડોમારે લાત!
પણ જીવન ની વિસંગતા ઓ ને કેમ આપવી મ્હાત?
પછી તો જીવન ટૂંકાવવાની આવે વાત।
એવું નથી કે આ જીવન જ છે નિરર્થક
આપણે જ કરવું જોઈએ એને સાર્થક
સાદગી અને સદવિચાર ના ઘણા બધા છે સમર્થક
સંસાર માં રહી ને આપણે બનીએ વિવેચક।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
એવું નથી કે આ જીવન જ છે નિરર્થક આપણે જ કરવું જોઈએ એને સાર્થક સાદગી અને સદવિચાર ના ઘણા બધા છે સમર્થક સંસાર માં રહી ને આપણે બનીએ વિવેચક। હસમુખ અમથાલાલ મહેતા