જાત ને રાખો
શનિવાર,29 સપ્ટેમ્બર 2018
ના જાણ્યું જાનકી નાથે
સવારે શું થવાનું છે
જીવન ના રંગ હોય એવા
મન ને વિચલિત કરે તેવા।
સવાર હોય જો ભૂત માથે
કોઈ ના હોય તમારા સંગી સાથે
ઠરી ને ઠામ થઇ જાઓ
તો પછી થશે પસ્તાવો।
જાણવાનું સદંતર છોડી દો
ચિંતા ને હળવે થી તિલાંજલિ આપી દો
કરે ચિંતા ઘર માં આવવાને
કરી દો રવાના એને પાછળના દરવાજે।
જાત ને રાખો સ્વસ્થ
અને કરો પ્રાર્થના કંઠસ્થ
એના પરિણામો દુરોગામી હશે
જીવન માં શાંતિ ની પહેલ હશે।
સંધ્યા પસાર થાય શાંતિ થી
સુખે થી હળવાશ થી
રાખો ધ્યાનએ કદી ના ભરાય કડવાશ થી
દિવસ વીતી જાય ધીરે ધીરે હળવાશ થી
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
સંધ્યા પસાર થાય શાંતિ થી સુખે થી હળવાશ થી રાખો ધ્યાનએ કદી ના ભરાય કડવાશ થી દિવસ વીતી જાય ધીરે ધીરે હળવાશ થી હસમુખ અમથાલાલ મહેતા