જન્મસાત
સોમવાર,3 ડિસેમ્બર 2018
મને લાગી એવી ધૂન
ચડી ગયું મન માં શૂરાતન
રોમેરોમ ઉઠયું સ્પંદન
સુવાસ એવી પ્રસરી કે જાણે ચંદન।
સંસાર ની એકજ ઘટમાળ
કદી થાય કોઈ નું મરણ
કદી આવે હર્ષ ના આંસુ
જ્યારે બંધાય ઘરે પારણું।
બસ મારે નથી પડવું
કોઈ ની પંચાત માં કે લડવું
બસ જાતેજ સમજવું
અને મન ને મનાવવું।
બસ એક વખત થાય આવો નીર્ધાર
તો પછી કોઈ નહિ રહે નિરાધાર
બધા નો વિવેક એકજ હોય
વિચારસરણી પણ સમાન જ હોય।
હું માનવ થાઉં તો પણ ઘણું
બસ આટલું વિચારો તો જગ લાગે વામણું
કદી પશ્ચાતાપ થાય જ નહિ
એવું સુખ મળ્યું છે આપણ ને અહીં।
કરીએ જન્મ ને સાત
આમ તો આપણી શી છે વિસાત?
પણ સપના સાકાર કરી શકીએ
બીજા ને પાનપણી સિધી બતાવી શકીએ।
હસમુખ અમથાલાલ મેહતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
કરીએ જન્મ ને સાત આમ તો આપણી શી છે વિસાત? પણ સપના સાકાર કરી શકીએ બીજા ને પાનપણી સિધી બતાવી શકીએ। હસમુખ અમથાલાલ મેહતા