કોઈ ઉકેલ?
બુધવાર,26 ડિસેમ્બર 2018
કોઈની પાસે આનો ઉકેલ નથી
દિલ્લી રાજધાની હોવા છતાં પૂરોપ્રયાસ થયો નથી
વાતાવરણ ભયજનક સપાટી થી ઉપર હોવા છતાં કોઈં દુઃખ નથી
કાયદા ની જાણે કોઈ ને પડી પણ નથી।
પંજાબ ના ખેડૂતો ઘાસ નો ઘુમાડો કરે રાખે છે
દિલ્લી ના લોકો હવા ને પ્રદુષિત કરે રાખે છે
કેટલા એ રોગીઓ એ પ્રાણ ગુમાવ્યા છે
પણ બધા ઉપાયો ઠેર ના ઠેર છે।
એક તો ઠંડી અને ઉપર થી આ પ્રદુષણ
અને એનાથી વધતું જતું આ દુષણ
બધા પોતાની ખુરશી સાચવવા માં પડયા છે
યેનકેન પ્રકારેણ અંદરોદર લડયા છે।
દર વર્ષે આનો આજ પ્રશ્ન
પણ રાજકારણી ઓ કરે જશ્ન
કોર્ટો આદેશ કરે પણ અમલ જ નહિ
બધા ને રસ છે પણ ખુરસી બચાવવી છે।
રાજકારણી ઓ ને જલસા અને પ્રજા ને સજા
ઠાલા વચનો અને વાતો ની લ્હાણી
આટલા મોટા મુલ્ક માં બધૂ શક્ય નથી
બધીજ વસ્તુ ઓ બધાને પ્રાપ્ત થાય એમ કહેવું બરાબર નથી।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
રાજકારણી ઓ ને જલસા અને પ્રજા ને સજા ઠાલા વચનો અને વાતો ની લ્હાણી આટલા મોટા મુલ્ક માં બધૂ શક્ય નથી બધીજ વસ્તુ ઓ બધાને પ્રાપ્ત થાય એમ કહેવું બરાબર નથી। હસમુખ અમથાલાલ મહેતા