કોઈ પસ્તાવો
Friday, May 11,2018
9: 48 AM
અનહદ પ્યાર મારો
છલકી છલકી જાય
છોળો થપાટ મારીને, પાછી ચાલી જાય
મન ને આહલાદક આનંદ અનુભવાય।
આ રહયું પ્રેમ નું સોનેરી પાસુ
રહે મન અધીરું, અને જિજ્ઞાસુ
ક્યારે મળાશે ને, વાતો થાશે!
મન ની અગન, ક્યારે શાંત થાશે?
જીવન ની નાવ મારી, સરપટ દોડી જાય
જોઈ બધા ને, હરખ થી ઘેલી થાય
આવો વર્તારો, ક્યારે ના અનુભવાય
મરતા પહેલા, હરગે ના જવાય।
પ્યાર એ તો, પ્રભુ નો પ્રસાદ
એને કેમ આપો, મોળો પ્રતિસાદ?
મન નો અજમ્પો. આપે સાદ
તેના પર કેમ હોય, વિપરીત પ્રતિસાદ?
પ્યાર ને કરશો, કદી ના બદનામ
પણ તેને આપશો, હુલામણું નામ
આપણે બધા, માટી ના માનવી
કેમે બનીએ ક્રૂર, અને પાશવી।
છેહ ના દેવો
પણ એને નિભાવો
અક્ષરે અક્ષર, પાળી બતાવો
પ્રેમ નો ના હોય, કોઈ પસ્તાવો।
હસમુખ અમથાલાલ મેહતા
છેહ ના દેવો પણ એને નિભાવો અક્ષરે અક્ષર, પાળી બતાવો પ્રેમ નો ના હોય, કોઈ પસ્તાવો। હસમુખ અમથાલાલ મેહતા Hasmukh Amathalal
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome imposible posible 1 Manage Like · Reply · 1m