કોઇપણ પર્યાય
સોમવાર, કક 11 જૂન 2018
રવિવાર એટલે સૂરજદાદા નો વાર
આપણા માં થાય શક્તિ નો સંચાર
આખા અઠવાડિયાનો થાક થાય દૂર
બધા ને મળવાનું થાય અને પ્રેમ માં આવે પૂર।
આવા દિવસ નું આપણે કરીએ સમર્થન
એનું હોઈ શકે જુદું અર્થઘટન
પણ તમોને એ મગજ થી તાજા કરી દે
શક્તિ નો સંચાર તો એવો કે એક સપ્તાહ નો સંઘરો કરી દે।
જીવન એટલે ઘટમાળ
અવિરત અને પુરી જંજાળ
પણ કોઈ વિરલા જ એમાં મસ્ત રહે
અવિરત વહેતા જળ માં નિહાળી મગ્ન રહે।
કોઈ પણ દિવસ આપણા માટે શુભ સંદેશ જ લાવે
આંસુઓ ની ધાર વહેવડાવેમ, કે પછી આનદં જ અપાવે
"આ અવિરત સમય ની ધારા છે" એમ આપણે સમજવું જ રહયું
"આજે છીએ ને કાલે નથી" એ સત્ય ને કબૂલકરવું જ રહયું।
"કર્મ કરવાનો અબાધિત આઘાર"આપણી પાસે છે
એને મૂલવવાનો અધિકાર તમારી પાસે નથી
"ના હું ખોટું કરતો જ નથી" એમ કહીને ના છટકી શકાય
"સાચા નો કોઇપણ પર્યાય નથી "એમ ચોક્કસપણે કહી શકાય
હસમુખ અમથાલાલ મેહતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
કર્મ કરવાનો અબાધિત આઘારઆપણી પાસે છે એને મૂલવવાનો અધિકાર તમારી પાસે નથી ના હું ખોટું કરતો જ નથી એમ કહીને ના છટકી શકાય સાચા નો કોઇપણ પર્યાય નથી એમ ચોક્કસપણે કહી શકાય હસમુખ અમથાલાલ મેહતા