મન ના ભટકે.. Man Poem by Mehta Hasmukh Amathaal

મન ના ભટકે.. Man

Rating: 5.0

મન ના ભટકે
સોમવાર,10 ડિસેમ્બર 2018

પ્રકૃતિ એટલે બદલાવ નો નિયમ
એક જગા એ ના રહી શકે કાયમ
ઋતુઓ પ્રમાણે નિયમો બદલાય
મનુષ્ય ધારે તો થોડુંક વિચારાય।

કૈંક વસ્તુઓ કદી ના સમજાય
સુરજ નો આકાશ માં પૂર્વ માં થી થાય ઉદય
અસ્તાચળ પણ પશ્ચિમમા જ થાય
રાત્રી નો સમય પણ કદાપિ ના ફેરવાય।

મનુષ્ય જો સમજે સાન માં
કરે કાર્ય વિચારી ભાન માં
કદી ના પસ્તાવાનો ના આવે સમય
જો હરિ નો સાથ સદા હોય।

બદલાની જો રાખો ભાવના
તો કદી ના થાય પુરી કામના
આવા વ્યવહાર થી આપણ ને ના થાય કલ્પના
થાય વિચારો જો ફસાઓ વમળ માં।

હું સમજી ના શકું અકળ જ્ઞાન
વિચારો કરી ના આવે કોઈ સાન
જીવન સાદુ અને નિર્મળ મન
દિલ માને તો મન ના ભટકે વન।

હસમુખ મેહતા

મન ના ભટકે.. Man
Monday, December 10, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 10 December 2018

હું સમજી ના શકું અકળ જ્ઞાન વિચારો કરી ના આવે કોઈ સાન જીવન સાદુ અને નિર્મળ મન દિલ માને તો મન ના ભટકે વન। હસમુખ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success