મનોવાંછના
બુધવાર,14 નવેમ્બર 2018
મેં મનમાં કરી વાંછના
ગરીબ ના આંસુ હંમશા લુછવા
ના મદદ કરી શકું તો કઈ નહિ
બે શબ્દ સાંત્વના ના આપવા અહીં।
ગરીબાઈ અભિશાપ નથી
માણસ આ માં કસૂરવાર નથી
ચડતી ને પડતી તો જીવન ના લાભ
આપણે ના થઈ જવું સ્તબ્ધ।
અમેરાઈ થી છકી ના જવું
ગરીબાઈ થી ગભરાઈ ના જવું
પણચોકસાઈ થી આગળ વધવું
એક બીજા ના પૂરક થઇ ને રહેવું।
હું કેમ માણસ તરીકે ના જીવું?
ક્યાં છે મારા હાથ માં જીવવું કે મરવું
તો પછી એને સાર્થક કેમ ના કરવું?
પળેપળ જીવી, જીવન ને સાર્થક કેમ ના કરવું?
કેટલાએ સિકંદર થઇ ને માટી માં મળી ગયા
પાછળ ખાલી નામનો લિસોટો મુકતા ગયા
ભાખ્યું હતું કોણે કે અમર થઇ જશો?
અને એ પણ કોણે જાણ્યું કે અચાનક અદ્રશ્ય થઇ જશો।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
કેટલાએ સિકંદર થઇ ને માટી માં મળી ગયા પાછળ ખાલી નામનો લિસોટો મુકતા ગયા ભાખ્યું હતું કોણે કે અમર થઇ જશો? અને એ પણ કોણે જાણ્યું કે અચાનક અદ્રશ્ય થઇ જશો। હસમુખ અમથાલાલ મહેતા