મુસાફરખાનું
બુધવાર,13 ફેબ્રુઆરી 2019
રાત માં ફોન ને ઘંટી વાગે
દિલ માં જોર થી અમંગળ થવાનો ધાસ્કો લાગે
કૈક ખરાબ થયું હશે એમ લાગી ને દિલ ધડકે
પાંપણો પણ વારંવાર ફડકે।
"પેલા ચતુરકાકા ગુજરી ગયા "
આઘે છેડે થી ડૂસકું લેતો અવાજ આવ્યો
સવારે તેમની અંત્યેષ્ઠી
આંખો માં આંસુ ધસી આવ્યા અને ધૂંધળી થઇ ગઈ દ્રષ્ટિ।
આપણાં ને મરણ ની જ બીક વધારે
જેમ જેમ ઉંમર વધે તેમ એમ ચિંતા વધારે
રાખે ને મારું કાલે શું થશે?
શું દુનિયા છોડીએ ને જવું પડશે?
પત્ની ની એક સોનેરી સલાહ યાદ છે
એના કેવા પાછળ નો અર્થ નિર્વિવાદ છે
"આજે નહિ તો કાલે"બધા એ જવાનું જ છે
દુનિયા આપણાં માટે એક મુસાફરખાનું જ છે।
હસમુખ અમથાલાલ મહેતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem